જામજોધપુરમાં ભારે વરસાદને લઈને કોંગ્રેસ દ્વારા લીલો દુકાળ જાહેર કરવા માંગ કરાઇ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
જામજોધપુરમાં ભારે વરસાદને લઈને કોંગ્રેસ દ્વારા લીલો દુકાળ જાહેર કરવા માંગ કરાઇ 1 - image


Jamnagar Congress : જામજોધપુર તાલુકા અને શહેરમાં ભારે વરસાદ નોંધાયો છે, જેને લઈ લીલો દુષ્કાળ જાહેર કરવાની તેમજ ખખડધજ થઈ ગયેલા રોડ રસ્તાના સમાર કામ કરવાની માંગ સાથે કોંગ્રસ પાર્ટી દ્વારા આવેદન પત્ર અપાયું છે.

જામજોધપુર તાલુકામાં અતિ ભારે વરસાદ હોય ખેડૂતના પાકને નુકશાની અને જમીનનું ધોવાણ થયુ હોય જેથી લીલો દુષ્કાળ જાહેર કરવા તેમજ જામજોધપુર તાલુકામાં ઠેર-ઠેર રોડ રસ્તાનાના પુલ વગેરેનું ધોવાણ થઈ ગયુ હોઈ જે તાત્કાલીત સમારકામ કરવાની માંગ સાથે જામ જોધપુર કોંગ્રસના જિલ્લા પ્રમુખ મનોજ કથીરીયા, જીલ્લા કિશાન કોંગ્રેસ પ્રમુખ પી.આર.જાડેજા, તાલુકા કોંગ્રસ પ્રમુખ ગોવિંદ ચાવડા શહેર કોંગ્રસ પ્રમુખ જમનભાઈ કંટારીયા તથા શહેર તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓ વિવિધ ગામના ખેડુત આગેવાનોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર અપાયું હતું.


Google NewsGoogle News