જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં આવેલું અતિ જર્જરિત મકાન એસ્ટેટ શાખા દ્વારા જમીન દોસ્ત કરાયું

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં આવેલું અતિ જર્જરિત મકાન એસ્ટેટ શાખા દ્વારા જમીન દોસ્ત કરાયું 1 - image


Jamnagar News : જામનગરના કાલાવડ નાકા બહાર પટણીવાડ વિસ્તારમાં આવેલું બે માળનું જુનવાણી મકાન કે જેના મકાન માલિક બહારગામ રહે છે, અને ઘણા વર્ષોથી મકાન બંધ અવસ્થામાં છે. પરંતુ તેમાંથી અનેક પથ્થરો વગેરે વરસાદી સીઝનમાં નીચે ખરી રહ્યા છે અને જાનમાલને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

 જે અંગેની ફરિયાદ મળતાં આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી કાલાવડ નાકા બહાર પટણીવાડ વિસ્તારમાં પહોંચી હતી અને જુનવાણી બંધ મકાનમાં ડીમોલેશન હાથ ધર્યું હતું. અને સંપૂર્ણ મકાનને જમીનદોસ્ત કરી નાખ્યું છે. તે દરમિયાન આસપાસના વિસ્તારના રહેવાસીઓને સચેત કરી દેવામાં આવ્યા હતા.


Google NewsGoogle News