જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 143 સાંસદોને સસ્પેન્શનના વિરોધમાં ધરણા પ્રદર્શન

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 143 સાંસદોને સસ્પેન્શનના વિરોધમાં ધરણા પ્રદર્શન 1 - image

જામનગર,તા.23 ડિસેમ્બર 2023,શુક્રવાર

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સંસદના બંને ગ્રહોમાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્યને લોકશાહીના પાયા પરના આંકરા હુમલાની ઘટના ગણીને તેનો વિરોધ પ્રદર્શન કરવા આવ્યો છે.

 જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તેમજ જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદાની આગેવાની હેઠળ કોંગી કોર્પોરેટર તેમજ અન્ય કોંગી અગ્રણીઓની હાજરીમાં લાલ બંગલા સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો, અને તમામ કોંગી અગ્રણીઓએ હાથમાં પ્લે કાર્ડ સાથે લોકતંત્ર બચાવો સંવિધાન બચાવો વગેરે સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


Google NewsGoogle News