જામનગરની સાધના કોલોનીમાં વધુ 36 ફ્લેટ અને 3 જર્જરિત બિલ્ડીંગોનું ડિમોલેશન હાથ ધરાયું

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
જામનગરની સાધના કોલોનીમાં વધુ 36 ફ્લેટ અને 3 જર્જરિત બિલ્ડીંગોનું ડિમોલેશન હાથ ધરાયું 1 - image


Jamnagar News : જામનગરની સાધના કોલોનીમાં જર્જરિત બિલ્ડીંગોને જમીન દોસ્ત કરવા માટેની કાર્યવાહી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વધુ 36 ફ્લેટ સાથેના વધુ ત્રણ બિલ્ડીંગને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.

 જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારીની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાની ટુકડી બે જેસીબી મશીન તથા અન્ય સામગ્રી સાથે સાધના કોલોની વિસ્તારમાં પહોંચી હતી.  એલ-97, 98 અને 99 નંબરના ત્રણ બિલ્ડીંગ કે જેમાં 36 ફ્લેટ આવેલા છે. જે જર્જરીત બિલ્ડીંગો સૌ પ્રથમ ખાલી કરાવી દેવાઈ હતી અને તેના પર આજે બુલડોઝર ફેરવી દેવાયું છે.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ સાધના કોલોની વિસ્તારમાં કુલ 21 બિલ્ડીંગના 252 જેટલા ફ્લેટ ડીમોલાઈઝડ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત હજુ કેટલાક જર્જરિત બિલ્ડીંગ કે જેનો સર્વે કરીને ડિમોલનેશન કરવાની કાર્યવાહી આવનારા દિવસોમાં અવિરત ચાલુ રાખવામાં આવશે.


Google NewsGoogle News