જામનગરની સાધના કોલોનીમાં આજે પણ વધુ 36 ફ્લેટ સાથેની જર્જરિત 3 બિલ્ડીંગોનું ડિમોલેશન હાથ ધરાયું

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
જામનગરની સાધના કોલોનીમાં આજે પણ વધુ 36 ફ્લેટ સાથેની જર્જરિત 3 બિલ્ડીંગોનું ડિમોલેશન હાથ ધરાયું 1 - image


Jamnagar Demolition : જામનગરની સાધના કોલોનીમાં જર્જરિત બિલ્ડીંગોને જમીન દોસ્ત કરવા માટેની કાર્યવાહી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે વધુ 36 ફ્લેટ સાથેના વધુ ત્રણ બિલ્ડીંગને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીની રાહબરી હેઠળ આજે વહેલી સવારે એસ્ટેટ શાખાની ટુકડી બે જેસીબી મશીન તથા અન્ય સામગ્રી સાથે સાધના કોલોની વિસ્તારમાં પહોંચી હતી, અને એલ- એલ-102, 103 અને એલ-104 નંબરના ત્રણ બિલ્ડીંગ કે જેમાં 36 ફ્લેટ આવેલા છે. જે જર્જરીત બિલ્ડીંગોમાં સૌ પ્રથમ ખાલી કરાવી દેવાયા હતા અને તેના પર આજે બુલડોઝર ફેરવી દેવાયું છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ સાધના કોલોની વિસ્તારમાં કુલ 18 બિલ્ડીંગના 216 જેટલા ફ્લેટ ડીમોલાઈઝડ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત હજુ કેટલાક જર્જરિત બિલ્ડીંગ કે જેનો સર્વે કરીને ડિમોલનેશન કરવાની કાર્યવાહી આવનારા દિવસોમાં અવિરત ચાલુ રાખવામાં આવશે.


Google NewsGoogle News