'તારા ઘરના દરવાજા મેં તોડી નાખ્યા છે, પોલીસ ફરિયાદ કરીશ તો પતાવી નાખીશ', જામનગરના નામચીન શખ્સની ધમકી

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
'તારા ઘરના દરવાજા મેં તોડી નાખ્યા છે, પોલીસ ફરિયાદ કરીશ તો પતાવી નાખીશ', જામનગરના નામચીન શખ્સની ધમકી 1 - image

image : Freepik

જામનગર,તા.06 માર્ચ 2024,બુધવાર 

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક નામચીન શખ્સ અને તેના સાગરીતે ફરીથી પોત પ્રકાશયું છે, અને પોતાની સાથે વાંધો ચાલી રહ્યો છે, તે મકાન માલિકને ઘેર જઈ તેના મકાનના દરવાજા મા તોડફોડ કરી નાખી હતી, અને તારા મકાનમાં તોડફોડ કરી છે, જેની બાબતની માહિતી પોલીસને આપીશ તો તને પતાવી નાખીશ તેમ કહી ધમકી ઉચ્ચારી હોવાથી આ મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો, અને બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની માં રહેતા અને કલર કામની મજૂરી કરતા બીપીન કરસનભાઈ દાણીધાર નામના બાવાજી યુવાને પોતાના ઘરમાં આવીને તોડફોડ કરી નાખી દરવાજા સહિતને રૂપિયા પાંચ હજારનું નુકસાન પહોંચાડવા અંગે તેમજ છરીની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તે જ વિસ્તારમાં રહેતા નામચીન શખ્સ હર્ષ ઉર્ફ ટકો પરેશભાઈ મહેતા, અને તેના સાગરીત વસંત વાટિકામાં રહેતા અજય રાજેન્દ્રભાઈ બરછા સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉથી વાંધો ચાલે છે, અને ફરિયાદી બીપીનભાઈને આરોપી સાથે અગાઉ ઝઘડો થયો હોવાથી તે બાબતેની ફરિયાદીના પુત્ર પુનિતે પોલીસમાં અરજી કરી હતી. જેનું મનદુઃખ રાખીને આરોપી હર્ષ ઉર્ફે ટકો તેના સાગરિત સાથે ઘરે આવી પહોંચ્યો હતો, અને દરવાજામાં તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી

 તેમજ છરી વડે જો પોલીસમાં ફરિયાદ કરવા જશે તો પતાવી નાખશે તેવી ધમકી ઉચ્ચારી હતી. આ બનાવ બાદ બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News