જામનગરમાં નવા બંધાઈ રહેલા બિલ્ડીંગના બારમાં માળેથી પટકાતા યુવાનનું કમ કમાટી ભર્યું મૃત્યુ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
જામનગરમાં નવા બંધાઈ રહેલા બિલ્ડીંગના બારમાં માળેથી પટકાતા યુવાનનું કમ કમાટી ભર્યું મૃત્યુ 1 - image

image : Freepik

Jamnagar News : જામનગરમાં વાલકેશ્વરી રોડ પર બંધાઈ રહેલા નવા બિલ્ડીંગના બારમાં માળે કામ કરી રહેલો એક શ્રમિક યુવાન અકસ્માતે નીચે પટકાઈ પડ્યો હતો અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાલકેશ્વરી રોડ પર કોચ હાઉસ પાસે માધવ સ્કાય લાઈન નામનું નવુ બિલ્ડીંગ બંધાઈ રહ્યું છે. જે બિલ્ડીંગના બારમાં માળે કામ કરી રહેલો પ્રવીણ અમરાભાઇ નનોતા નામનો 28 વર્ષનો યુવાન ચાલુ કામકાજ દરમિયાન અકસ્માતે બારમાં માળેથી નીચે પટકાઈ પડ્યો હતો અને ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો. જેને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 

આ બનાવ અંગે બાંધકામના કોન્ટ્રાક્ટર હિરેનભાઈ સુરેશભાઈ પટેલે પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News