જામનગર નજીક લાખાબાવળ ગામની સીમમાં કેનાલમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો

Updated: May 24th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક લાખાબાવળ ગામની સીમમાં કેનાલમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો 1 - image


Dead Body Found Jamnagar : જામનગર નજીક લાખાબાવળ અને સરમત ગામની વચ્ચે આવેલી પાણીની કેનાલના જોઈન્ટની કુંડીમાંથી 30 થી 40 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મળી આવ્યો છે. પોલીસે તેની ઓળખ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

 જામનગરના પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ટેલીફોનિક બાતમી મળી હતી, કે લાખાબાવળ ગામની કેનાલની પાણીની કુંડીમાં એક માનવ મૃતદેહ પડ્યો છે, જે બાતમીના આધારે પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને 30 થી 40 વર્ષની વયના અજ્ઞાત પુરુષનો કોહવાઈ ગયેલો મૃતદેહ કબજે લઈ જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો, તેમજ મૃતકની ઓળખ કરવા માટે મૃતદેહને જામનગરની જી.જી.હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.


Google NewsGoogle News