જામનગરમાં ખાડાના પાણીમાં ડૂબેલા પિતા-પુત્ર પૈકીના પિતાનો પણ મૃતદેહ મળી આવ્યો : પરિવારમાં કલ્પાંત

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ખાડાના પાણીમાં ડૂબેલા પિતા-પુત્ર પૈકીના પિતાનો પણ મૃતદેહ મળી આવ્યો : પરિવારમાં કલ્પાંત 1 - image


Jamnagar News : જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર કે જેઓ જામજોધપુરમાં પ્રસંગ પતાવીને જામનગર આવ્યા હતા, દરમિયાન સત્યમ કોલોની અંડર બ્રિજ પાસે પાણીના ખાડામાં પિતા-પુત્ર બંને ડૂબી ગયા હતા.

ગઈકાલે સવારે પુત્ર શુભમ ઉંમર (14 વર્ષ) નો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે પિતા પ્રદીપપરી લાલપરી ગોસ્વામીની શોધખોળ ચલાવાઇ રહી હતી. દરમિયાન બપોરે તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે. સીટી સી. ડિવિઝન પોલીસે બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અને પરિવારજનોને મૃતદેહો સુપ્રત કરી દીધા હતા. એક જ પરિવારમાં પિતા-પુત્ર બન્નેને એકી સાથે અર્થી ઉઠતાં ભારે કરુણાજનક દ્રશ્ય સર્જાયા હતા અને સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ છે.


Google NewsGoogle News