જામનગરના વણથલી ગામે પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા પુત્રીએ જીવન ટૂંકાવ્યું

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News

જામનગરના વણથલી ગામે પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા પુત્રીએ જીવન ટૂંકાવ્યું 1 - imageimage : Freepik

જામનગર,તા.18 માર્ચ 2024,સોમવાર

જામનગર તાલુકાના વણથલી ગામે રહેતી એક યુવતીને મોબાઈલ લેવો હોય પરંતુ તેના પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા માઠું લાગી આવતા તેણીએ પોતાને ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગર તાલુકાના વણથલી ગામે રહેતી નર્મલિાબેન જેન્તીભાઈ પરમાર નામની 20 વર્ષીય યુવતીને મોબાઈલ લેવો હોય, પરંતુ તેના પિતાએ હમણા પૈસા નથી તેમજ ઈંટોનો ભઠો પાકેલ નથી. જેથી માલનું વેચાણ નહીં થતાં મોબાઈલ લેવાની ના પાડી હતી અને માલનું વેચાણ થયે મોબાઈલ લઈ આપીશ તેવું કહયું હતું. જેથી યુવતીને માઠું લાગી આવતા પોતાના ઘેર ઓરડીમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા જેન્તીલાલ કાનજીભાઈ પરમારએ પોલીસને 

જાણ કરતાં ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News