જામનગરના સિક્કામાં બે પાડોશીઓ વચ્ચે થયેલી તકરારના મામલે વળતી ફરિયાદ

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
જામનગરના સિક્કામાં બે પાડોશીઓ વચ્ચે થયેલી તકરારના મામલે વળતી ફરિયાદ 1 - image

જામનગર,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર

જામનગર તાલુકાના સિક્કામાં ગોકુલપુરી વિસ્તારમાં ગઈકાલે પાણી ઉડાડવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને બે ભાઈઓ પર દંપતી સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવાઇ હતી, જે મામલે આજે વળતી ફરિયાદ થઈ છે, અને બંને ભાઈઓ વિરુદ્ધ પાડોશી દંપતી અને તેના બે સંતાનો પર હુમલો કરાયાની વળતી ફરિયાદ નોંધાવાઈ છે.

 જામનગર તાલુકાના સિક્કામાં ગોકુલપુરી વિસ્તારમાં રહેતા અનિરુદ્ધસિંહ નવલસિંહ પિંગળ નામના યુવાને પાણી ઉડાડવાના પ્રશ્ને તકરાર થયા પછી પાડોશમાં રહેતા કરસન વાઘેલા, અને રણમલ વાઘેલા સામે પોતાના ઉપર તેમજ પોતાના માતા-પિતા અને બહેન વગેરે ઉપર લાકડાના ધોકાવાડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી છે.જે મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News