જામનગરમાં રોગચાળાના મુદ્દે તંત્રને જગાડવા કોંગ્રેસે બોલાવી રામધુન, કમિશનર ઓફિસમાં મંજીરા-કરતાલ વગાડી કર્યો વિરોધ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રોગચાળાના મુદ્દે તંત્રને જગાડવા કોંગ્રેસે બોલાવી રામધુન, કમિશનર ઓફિસમાં મંજીરા-કરતાલ વગાડી કર્યો વિરોધ 1 - image


Jamnagar Congress Protest : જામનગરમાં વકરી રહેલા રોગચાળાને મુદ્દે ગઈકાલે કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનર ઓફિસમાં ઢોલ નગારા અને ખંજીરા મંજીરા વગાડી સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કમિશનર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.

જામનગરમાં ચાંદીપુરા કોલેરા જેવા જીવલેણ રોગનું પ્રમાણ વધ્યું છે. અગાઉ કોંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપીને પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ મ્યુનિ.કમિશનર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા. આથી નગરજનોની આ સમસ્યાને વાચા આપવા ગઈકાલે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર કાર્યાલયમાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

કમિશનર ચેમ્બર બહાર પોલીસ દ્વારા તાળાબંધી કરી દેવામાં આવી હોવાથી કોંગ્રેસ દ્વારા સતત રજૂઆત છતાં તાળા ખોલવામાં ના આવતા મીટીંગ હોલમાં મિટિંગ ચાલુ હોવાથી કોંગ્રેસ કાર્યકરો મીટીંગ હોલ બહાર જ ધરણા અને સુત્રાચ્ચાર કરી મંજીરા અને કરતાલ સાથે રામધુન બોલાવવામાં આવી. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટરો અને કોંગ્રેસના આગેવાનો સહિતનાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.


Google NewsGoogle News