જામનગર શહેરમાં ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ અને આપના કાર્યકરો દ્વારા શહીદ વીર ભગતસિંહ ને શ્રદ્ધાંજલિ અપાઇ

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાં ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ અને આપના કાર્યકરો દ્વારા શહીદ વીર ભગતસિંહ ને શ્રદ્ધાંજલિ અપાઇ 1 - image


જામનગર, તા. 23 માર્ચ 2024 શનિવાર

જામનગર શહેરમાં આજે શહિદ વિર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ યોજાયા હતા, જેના અનુસંધાને દેશના ઈન્ડિયા ગઠબંધનના ઘટક એવા કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના અગ્રણી હોદ્દેદારો કાર્યકરો દ્વારા 'આપ'ના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, તેમજ જામનગર જિલ્લાના કોંગ્રેસ અગ્રણી અને કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર જે.પી. મારવીયા સહિતના અગ્રણીઓની હાજરીમાં શહીદ વીર ભગતસિંહને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

જામનગર શહેરમાં ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ અને આપના કાર્યકરો દ્વારા શહીદ વીર ભગતસિંહ ને શ્રદ્ધાંજલિ અપાઇ 2 - image

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદ વીર ભગતસિંહ ને હવાઈચોક ખાતે ફુલહાર કરવામાં આવ્યા હતા. આ વેળા એ વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, તોસીફ ખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, સાજીદ બ્લોચ, આનંદ ગોહિલ તથા બંને પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News