લાલપુર નજીક મોટા લખિયા ગામમાંથી 20 વર્ષીય યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
લાલપુર નજીક મોટા લખિયા ગામમાંથી 20 વર્ષીય યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 12 માર્ચ 2024 મંગળવાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં રહેતી ૨૦ વર્ષ ની અપારણીત યુવતી પોતાના ઘેરથી એકાએક લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે. જે અંગે મેઘપર પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઇ છે.

લાલપુર તાલુકા ના મોટા લખિયા ગામમાં રહેતા પ્રવીણભાઈ ખોડાભાઈ ખરા નામના ૪૮ વર્ષના ચારણીયા મેઘવારની ૨૦ વર્ષ ની પુત્રી આરતીબેન કે જે ગત ૬ તારીખે પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ હતી. તેણીનો અનેક સ્થળે શોધખોળ કર્યા છતાં કોઈ પત્તો સાંપડ્યો ન હતો.

આથી મેઘપર પોલીસ મથકમાં પિતા પ્રવીણભાઈ દ્વારા ગુમ નોંધ કરાવવામાં આવી હતી, જેના અનુસંધાને મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ તપાસ ચલાવી રહ્યા છે.


Google NewsGoogle News