જામનગરમાં અઢારીયા ઉપાધનનાં 15 બાળ તપસ્વીઓની ઉપાસના પૂર્ણ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
જામનગરમાં અઢારીયા ઉપાધનનાં 15 બાળ તપસ્વીઓની ઉપાસના પૂર્ણ 1 - image


ચાંદી બજાર સ્થિત શેઠજી જૈન દેરાસરેથી તપસ્વીઓનો વરઘોડો યોજાયો

જામનગર, તા. 24 નવેમ્બર 2023 શુક્રવાર

જામનગરમાં જૈન સમાજનાં ૧૫ બાળ તપસ્વીઓએ અઢારીયા ઉપાધનની ઉપાસના પૂર્ણ કરી છે. તપ સાધનામાં લીન આ તપસ્વીઓ ૧૮ દિવસ માતા-પિતા તથા મોબાઇલથી પણ અળગા રહ્યા હતાં. વર્તમાનમાં જ્યારે સ્માર્ટફોનનાં ઉપયોગ અને સોશ્યલ મિડીયાનો અતિરેક ઉપયોગ માનસિક વિકારોનું કારણ બની રહ્યા છે ત્યારે આ તપસ્વીઓનો સંયમ પ્રેરક કહી શકાય.

જામનગરમાં અઢારીયા ઉપાધનનાં 15 બાળ તપસ્વીઓની ઉપાસના પૂર્ણ 2 - image

ઉપાસના પૂર્ણ થતા શેઠજી જૈન દેરાસરેથી તપસ્વીઓનો વરઘોડો - શોભાયાત્રા યોજાયા હતાં. બપોર પછી સાંજીનાં કાર્યક્રમમાં બાળ તપસ્વીઓનું અનુમોદન કરવામાં આવશે.

જામનગરમાં અઢારીયા ઉપાધનનાં 15 બાળ તપસ્વીઓની ઉપાસના પૂર્ણ 3 - image


Google NewsGoogle News