જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી મહિલા પર તેણીની પુત્રવધુ અને વેવાઈએ હુમલો કર્યાની ફરિયાદ

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી મહિલા પર તેણીની પુત્રવધુ અને વેવાઈએ હુમલો કર્યાની ફરિયાદ 1 - image


Crime News Jamnagar : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની પુત્રવધુ અને વેવાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

 જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ગ્રીન રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતી મંજુબેન મનોજ સિંહ રાણા નામની 48 વર્ષની મહિલાએ પોતાના ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ પોતાને તથા પોતાના પુત્ર બ્રિજરાજ સિંહને માર મારી પતાવી દેવાની ધમકી આપવા અંગે પોતાની પુત્રવધુ સુરભીબેન તથા વેવાઈ નવલરામ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મંજુબેનના પુત્ર બ્રિજરાજસિંહના લગ્ન રાજસ્થાનના ઉદેપુરના વતની નવલરામની પુત્રી સુરભીબેન સાથે થયા હતા. જે સુરભીબેનને પોતાના સાસરિયામાં રહેવું ગમતું ન હોવાથી તેના પિતા નવલરામને જામનગર બોલાવ્યા હતા, અને ઘરમાં આવીને તકરાર કરી મંજુબેન તથા બ્રિજરાજસિંહને માર મારી ઝઘડો કર્યો હતો, અને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરેથી ચાલ્યા ગયા હતા.

 જેથી મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. એ.એસ.આઈ.એ મંજુબેનની ફરિયાદના આધારે તેની પુત્રવધુ સુરભીબેન અને વેવાઈ નવલરામ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News