જામનગરમાં નિર્મળ ગુજરાત અન્વયે ધાર્મિક સ્થળ આસપાસ સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
જામનગરમાં નિર્મળ ગુજરાત અન્વયે ધાર્મિક સ્થળ આસપાસ સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો 1 - image


જામનગર મહાનગરપાલિકા દ્વારા "નિર્મળ ગુજરાત ૨.૦ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ શહેર ના તમામ ૧ થી ૧૬ વોર્ડ માં આવેલ ધાર્મિક સ્થળો આસપાસ સમૂહ સફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ શહેરમાં આવેલ હેરીટેજ સાઈટ, પ્રવાસન સ્થળ, મ્યુઝીયમ આસપાસ સઘન સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.

જામનગરમાં નિર્મળ ગુજરાત અન્વયે ધાર્મિક સ્થળ આસપાસ સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો 2 - image

આ કાર્યક્રમમાં નાયબ કમિશનર , સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કાર્યપાલક ઈજનેર , શાખા અધિકારી તેમજ શાખાના કર્મચારીઓ, બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે આ કાર્યક્રમમાં શ્રમદાન માટે જોડાયા હતા. અને શ્રમદાન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમ માં આશરે ૩૯૩ જેટલા સ્થાનિક લોકો અને ૪૯૧ સફાઈ કર્મચારી દ્વારા આશરે ૯૮૨ કલાક જેટલું શ્રમદાન આપવામાં આવ્યું હતું.

જામનગરમાં નિર્મળ ગુજરાત અન્વયે ધાર્મિક સ્થળ આસપાસ સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો 3 - image


Google NewsGoogle News