જામનગરના ખોડીયાર કોલોનીમાં દેરાણી-જેઠાણી વચ્ચે તકરાર : જેઠાણી પર દેરાણી સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ

Updated: May 6th, 2024


Google NewsGoogle News
જામનગરના ખોડીયાર કોલોનીમાં દેરાણી-જેઠાણી વચ્ચે તકરાર  :  જેઠાણી પર દેરાણી સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ 1 - image


Crime News Jamanagar : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં એક પરિવારમાં દેરાણી-જેઠાણી વચ્ચે તકરાર થયા પછી દેરાણી અને તેના ભાઈ-ભાભી વગેરે પાંચ શખ્સોએ જેઠાણી પર હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી શીતલબા લખુભા જાડેજા નામની 26 વર્ષની પરણીતાએ ખોડીયાર કોલોની વિસ્તારમાં પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની દેરાણી વિજયાબા સોઢા, ઉપરાંત તેના બે ભાઈઓ મહેન્દ્રસિંહ સોઢા અને અજયસિંહ સોઢા તેમજ ભાભી રીન્કુભા સોઢા અને શીલાબા સોઢા સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી દસ દિવસ પહેલાં એક લગ્ન પ્રસંગના જમણવારમાં દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો જે બનાવનું મનદુઃખ રાખીને દેરાણી અને તેના ભાઇ ભાભીએ આવીને હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે સીટી સી.ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News