જામનગરમાં દિવાળી વેકેશન પૂરું થયા પછી આજથી શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ થતાં શાળામાં બાળકોનો કિલકિલાટ સંભળાયો

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
જામનગરમાં દિવાળી વેકેશન પૂરું થયા પછી આજથી શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ થતાં શાળામાં બાળકોનો કિલકિલાટ સંભળાયો 1 - image

જામનગર,તા.30 નવેમ્બર 2023,ગુરૂવાર

જામનગર શહેરમાં આજથી દિવાળી વેકેશનની રજાઓ પૂર્ણ થઈ છે, અને શૈક્ષણિક કાર્ય ફરીથી શરૂ થઈ જતાં શાળામાં બાળકોની કીકીયારી સંભળાવવા માંડી છે.

 દિવાળીના તહેવારોને અનુલક્ષીને શહેર જિલ્લાની પ્રત્યેક શાળાઓમાં 15 દિવસનું વેકેશન જાહેર કરાયેલું હતું, જે વેકેશન આજે પૂર્ણ થયું છે, અને શહેર જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પુનઃ પ્રારંભ થઈ ગયો છે.

 સાથોસાથ બાલમંદિર-આંગણવાડીમાં પણ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જતાં નાના ભૂલકાઓની કીકીયારી સંભળાઈ રહી છે.


Google NewsGoogle News