'જામનગર મહાનગર પાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 ની ઉજવણી

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
'જામનગર મહાનગર પાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 ની ઉજવણી 1 - image


જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ની ઉજવણીના ભાગરૂપે શહેરમાં આવેલી જુદી જુદી મહાનુભાવોની પ્રતિમા સાહિતના સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શહેરની એન.જી.ઓ. સંસ્થા- વેપારીઓ વગેરે જોડાયા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા 'નિર્મળ ગુજરાત ૨.૦' અંતર્ગત શહેરમાં વિવિધ સ્થળોએ આવેલી વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઇ કરવામાં આવી હતી.

'જામનગર મહાનગર પાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 ની ઉજવણી 2 - image

આ ઉપરાંત શહેરના બાગ બગીચા, ધાર્મિક સ્થળો ઐતિહાસિક ઇમારત સહિતનાં જાહેર સ્થળોએ પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યમાં જામનગર મહાનગર પાલિકા ના તંત્રની ટીમ ઉપરાંત વિવિધ એન.જી.ઓ., વેપારી સંગઠનો તથા સ્થાનિકોએ પણ શ્રમદાન કર્યુ હતું.


Google NewsGoogle News