જામનગર શહેર અને ઠેબા વિસ્તારમાં બે મકાનોનો ગેરકાયદે કબજો કરી લેનાર શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ અંગેના ગુના નોંધાયા

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
જામનગર શહેર અને ઠેબા વિસ્તારમાં બે મકાનોનો ગેરકાયદે કબજો કરી લેનાર શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ અંગેના ગુના નોંધાયા 1 - image


- જામનગરમાં પાર્ક કોલીની વિસ્તારમાં આવેલું એક વડીલો પાર્જિત મકાન પચાવી પાડનારા પિતરાઇ ભાઈ સામે ફરિયાદ

- ઠેબા વિસ્તારમાં આવેલું વીજ કર્મચારીનું મકાન પચાવી લેનારા સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ

જામનગર,તા.03 ઓક્ટોબર 2023,મંગળવાર

જામનગર શહેરના પાર્ક કોલોનીમાં આવેલા એક વડીલો પાર્જિત મકાનને પચાવી પાડવા અંગે અને ઠેબા ચોકડી વિસ્તારમાં વીજ કર્મચારીના મકાનનો ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દેનાર શખ્સ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને પ્રકારણમાં પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હા દાખલ કરાયા છે.

 જામનગર શહેર નજીક નાઘેડી આર્શીવાદ કલબ વિસ્તારમાં રહેતા અને ગુજરાત એનર્જી ટ્રાન્સમીશજ્ઞ પ્રા. લી. કંપનીમાં ઈલેકટ્રીક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મયુર મનસુખભાઈ વાઘેલા નામના યુવાને ઠેબા ચોકડી નજીક સરદાર પાર્ક-4 માં બિલ્ડર ભાવેશ ડાયાભાઈ રાઠોડ દ્વારા બનાવવામાં આવી રહેલું મકાન ડાયાભાઈ રાઠોડ દ્વારા દેખાડવામાં આવેલું મકાન મયુરભાઈને ગમી જતાં ગત તા.29.3.2022ના રોજ રૂા.3,90,000ની અવેજની કિંમત ચુકવી દસ્તાવેજ કરી બાંધકામના રૂા.4,10,000 બિલ્ડર ભાવેશ ડાયાલાલ રાઠોડને આપી દીધા હતા, ત્યાર બાદ મયુરભાઈ મકાને જતા તથા મકાનમાં માલ સામાન (ઘરવખરી) પડેલી હતી, જે બાબતે ડાયાભાઈ રાઠોડને પૂછતાં તેમણે જણાવ્યુ હતું કે, બાજુવાળાના મકાનનું કામકાજ ચાલુ હોવાથી તેનો માલ સામાન પડેલો છે તેના મકાનનું કામ પુરૂ થતાં માલ સામાન ખાલી કરી નાખશે.

ત્યાર બાદ ગત તા.1-4-2023ના રોજ મયુરએ આ મકાન અંગે તપાસ કરાવતા જીવણભાઈ સાજાભાઈ હાથિયા રહેતા હતા જેથી મકાન ખાલી કરાવવા કહેતા તેમણે મકાન ખાલી નહીં કરી અને અમે આ મકાનનમાં છેલ્લા ત્રણ વર્ષથી રહીએ છીએ અને આ મકાન અમે ખરીદ કરેલું હોય જેથી ખાલી કરશું નહીં તેવું જણાવ્યું હતું.

આખરે મયુરએ જીવણભાઈ સાજાભાઈ હાથિયા વિરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 અંતર્ગત કલેકટર કચેરીમાં અરજી કરતાં ડેન કેવિંગ કમિટી દ્વારા ચેકિંગ કરી તેનો રિપોર્ટ તૈયાર કરાયો હતો, અને ફરીથી કલેક્ટર સમક્ષ રજૂ કરાયા પછી આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

આરોપી જીવણભાઈ સાજાભાઈ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ અંગે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક 2020 ની કલમ 4(3), 5(ગ), તેમજ આઈ.પી.સી.કલમ 504 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

આવોજ લેન્ડ ગ્રેબિંગ અંગેનો બીજો ગુનો જામનગર શહેરના પાર્ક કોલોની વિસ્તારમાં બન્યો છે. મૂળ જામનગરના વતની અને હાલ રાજકોટમાં રહેતા પ્રકાશ મણીલાલ ચતવાણીએ પોતાના જ પિતરાઈ ભાઈ રાજકોટમાં રહેતા હરેશ રસિકલાલ ચતવાણી સામે પાર્ક કોલોની વિસ્તારમાં આવેલું પોતાનું મકાન પચાવી પાડવા અંગેની ફરિયાદ નોંધાવી છે.સૌપ્રથમ પ્રકાશ દ્વારા જામનગરની કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અંગે ફરિયાદ અરજી કરવામાં આવી હતી. જે અરજીની તપાસની પછી આખરે મકાનનો ગેરકાયદે કબજો હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ કરાયો હતો.

આથી સીટી બી. ડિવિઝન પોલીસમાં મથકમાં પ્રકાશ ચતવાણીની ફરિયાદના આધારે તેના પિતરાઈભાઈ હરેશ રસિકલાલ ચતવાણી સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત વિધેયક 2020 ની કલમ 4(3), 5(ગ), મુજબ અને આઇપીસી કલમ 504 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરાઇ છે.


Google NewsGoogle News