જામનગરના કાલાવડ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક યુવાનના મૃત્યુના બનાવમાં અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધાયો

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
જામનગરના કાલાવડ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક યુવાનના મૃત્યુના બનાવમાં અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધાયો 1 - image


Accident in Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ નજીક હાઇવે રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનને ઇજા થઇ હતી, જ્યારે બીજા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.જે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધાયો છે.

 જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં માછરડા સોસાયટીમાં રહેતા જેન્તીભાઈ અમરશીભાઈ આઠુ નામના યુવાને કાલાવડ પોલીસ મથકમાં જી.જે.10 ઇ.એ.8838 નંબરના બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

 જે ફરિયાદમાં પોતાના નાનાભાઈ પ્રવીણભાઈ અમરશીભાઈ તથા તેના મિત્ર આકાશ કરસનભાઈ વાણીયા કે જે બંને બાઈક લઈને કાલાવડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓને સામેથી ઠોકર મારી ઘાયલ કરી દીધા હતા.

 જેમાં આકાશ વાણીયાને ઈજા થઈ હતી, જ્યારે તે પોતાના ભાઈ પ્રવીણભાઈનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજયું હતું, જે અકસ્માત સર્જવા અંગે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર અકસ્માતના બનાવ મામલે કાલાવડ ટાઉન પીએસઆઇ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News