જામનગરના શંકર ટેકરીમાં રહેતા કેન્સર પીડીત આધેડનો બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: May 26th, 2024


Google NewsGoogle News
જામનગરના શંકર ટેકરીમાં રહેતા કેન્સર પીડીત આધેડનો બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image


Image Source: Freepik

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા 55 વર્ષના આધેડ કે જેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા, જે બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે રહેતા ફકીર મામદ કાસમભાઇ ખફી નામના 55 વર્ષના આધેડ કે જેઓ છેલ્લા 6 માસથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જેનાથી કંટાળી જઇ ગઈકાલે પોતાના ઘેર લોખંડના એંગલ માં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના પુત્ર હુસેન ફકીરમામદ ખફી એ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના એ.એસ.આઈ. ફિરોજભાઈ દલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News