જામનગરમાં બિલ્ડરનો દવા પી લઈ આપઘાતનો પ્રયાસ : 8 થી 10 વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી કારણભૂત

Updated: Jul 11th, 2024

જામનગરમાં બિલ્ડરનો દવા પી લઈ આપઘાતનો પ્રયાસ : 8 થી 10 વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી કારણભૂત 1 - imageimage : Social media

Vyajkhor Harassment in Jamnagar : જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા નંદલાલભાઈ સંઘાણી નામના 43 વર્ષના બિલ્ડર યુવાને ધ્રોળ તાલુકાના સોયલ ટોલ નાકા પાસે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને હાલ તે બે અવસ્થામાં સારવાર હેઠળ છે.

બિલ્ડર નંદલાલભાઈ સંઘાણીના ભાઈ તથા અન્ય પરિવારજનો સારવાર અર્થે જામનગર લઈ આવ્યા હતા, અને પ્રાથમિક પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું, કે પોતાના કામના વ્યવસાય અર્થે અન્ય લોકો પાસેથી પૈસા વ્યાજ લીધા હતા, અને તેને અન્ય લોકો પાસેથી રકમ લેવાની પણ બાકી છે. પરંતુ લેણદારો આપતા નથી, અને આઠ થી દસ જેટલા લોકો આશરે અઢી કરોડ જેટલી રકમની પઠાણી ઉઘરાણી કરતા હોવાથી આખરે આર્થિક ભીંસમાં આવી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જે બનાવની જાણ થતાં ધ્રોળની પોલીસ ટુકડી જામનગર પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.

Gujarat