જામનગરના કાલાવડ નજીક નાગપુર ગામ પાસે ફુલઝર નદીમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
જામનગરના કાલાવડ નજીક નાગપુર ગામ પાસે ફુલઝર નદીમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો 1 - image


Jamnagar News : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામ પાસે આવેલી ફુલઝર નદીમાંથી 40 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.

 કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કિશોરભાઈ લાલજીભાઈ કપુરીયા નામના ખેડૂતે કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી, કે નાગપુર ગામ નજીક આવેલી ફુલઝર નદીમાં એક માનવ મૃતદેહ તરી રહ્યો છે, જે માહિતીના આધારે કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ બનાવના સ્થળે દોડી ગયા હતા અને અજ્ઞાત પુરુષના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેની ઓળખ કરવા માટે મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકી રાખ્યો છે.


Google NewsGoogle News