જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગાંધી જયંતી નિમિત્તે ખાદીના વસ્ત્રો સહિતની સામગ્રીની ખરીદી કરાઈ

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગાંધી જયંતી નિમિત્તે ખાદીના વસ્ત્રો સહિતની સામગ્રીની ખરીદી કરાઈ 1 - image

જામનગર,તા.02 ઓક્ટોબર 2023,સોમવાર

જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજી ઓક્ટોબરને ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે પ્રતિ વર્ષ મહાત્મા ગાંધી કે જેઓ પોતે ખાદીના આગ્રહી હતા, જેથી ખાદીના વસ્ત્રો સહિતની સામગ્રીની ખરીદી કરવા માટે આજે રણજીત રોડ પર આવેલા ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારમાં પહોંચ્યા હતા. 

જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગાંધી જયંતી નિમિત્તે ખાદીના વસ્ત્રો સહિતની સામગ્રીની ખરીદી કરાઈ 2 - image

 જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદ ખીમસુરીયા, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલ કગથરા તથા શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો વગેરે ખાદી ભંડારમાં પહોંચ્યા હતા, અને ખાદીના વસ્ત્રો સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરીને મહાત્મા ગાંધીજીને વિશેષ રૂપે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગાંધી જયંતી નિમિત્તે ખાદીના વસ્ત્રો સહિતની સામગ્રીની ખરીદી કરાઈ 3 - image



Google NewsGoogle News