રાજકોટ રેંજના આઈજીનું જામનગરમાં આગમન: એસપી દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું
જામનગર,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર
રાજકોટ રેંજના આઈ.જી. અશોકકુમાર યાદવનું આજે જામનગર જિલ્લામાં આગમન થયું હતું. તેઓ જામનગરની એસપી કચેરીએ આવ્યા પછી તેઓને ગાર્ડ ઓફ ઑનાર અપાયું હતું.
રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવ આજે જામનગર જિલ્લાના મહેમાન બન્યા હતા, અને આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં તેઓ જામનગરની એસ.પી.કચેરીએ આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓને ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ અશોક યાદવને પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ દ્વારા એસ.પી.કચેરીમાં મુલાકાત લઈને જામનગર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી, તેમજ કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા.