જામનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એડમિશન મેળવવા માટે તા.13 જુન સુધી અરજી કરી શકાશે

Updated: May 29th, 2024


Google NewsGoogle News
જામનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એડમિશન મેળવવા માટે તા.13 જુન સુધી અરજી કરી શકાશે 1 - image


ITI admission Jamnagar : આઈ.ટી.આઈ જામનગરમાં પ્રવેશસત્ર-2024 અંતર્ગત સંસ્થા ખાતે ચાલતા વિવિધ ટ્રેડોમાં એડમિશન મેળવવા ઓનલાઇન અરજી તા.13/06/2024 સુધી ચાલુ રહેશે.ઉમેદવાર https://itiadmission.gujarat.gov.in લિંક મારફતે Apply for New Registration પર કલીક કરી જરુરી વિગતો ભરી ઓનલાઈન અરજી કરી શકશે. પ્રવેશ સંબંધિત વધુ માહિતી માટે આઈટીઆઈ ખાતે ખોલવામાં આવેલ હેલ્પ સેન્ટર પર કામકાજના દિવસો દરમ્યાન સવારે 11:00 થી 4:00 સુધી રૂબરૂ સંપર્ક કરી એડમિશન મેળવવા માટે જરૂરી શૈક્ષણિક  લાયકાત અને સંસ્થા ખતે ચાલતા વિવિધ ટ્રેડ (વ્યવસાય)ની માહીતી મેળવી શકાશે અને ઓનલાઇન અરજી વિનામુલ્યે કરી આપવામાં આવશે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Google NewsGoogle News