અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જામનગર શહેરના કતલખાના બંધ રાખવા અપીલ

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જામનગર શહેરના કતલખાના બંધ રાખવા અપીલ 1 - image


જામનગર, તા. 21 જાન્યુઆરી 2024, રવિવાર

આવતીકાલે સોમવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામજી નો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેને અનુલક્ષીને જામનગર શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવાનો જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આવતીકાલે સોમવારે ભગવાન શ્રીરામ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને કતલખાનાઓ બંધ રાખવાની સાથે સાથે પશુઓની કતલ નહીં કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News