જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ વધુ એક બાળ દર્દીને દાખલ કરાયો

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ વધુ એક બાળ દર્દીને દાખલ કરાયો 1 - image


Chandipura Virus Jamnagar : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે સાંજે જામજોધપુર પંથકના માત્ર 10 માસના બાળકને ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યો છે અને તેની સધન સારવાર ચાલી રહી છે. જેના નમુનાઓ લઈને પૃથ્થકરણ માટે પુનાની લેબમાં મોકલવામાં આવ્યા છે.

 જામનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ એવા 15 દર્દીઓ નોંધાયા છે. જે તમામ બાળ દર્દીઓ પૈકી આઠ બાળ દર્દીઓના શંકાસ્પદ ચાંદીપુરાના દર્દી તરીકે મોત થયા છે. જ્યારે હાલ 3 ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. ઉપરાંત ત્રણ બાળ દર્દીઓની તબિયતમાં સુધારો થઈ જતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.


Google NewsGoogle News