જામનગરના વાગડિયા ગામમાં ક્રેઈન દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા શ્રમિકો પૈકીના વધુ એક શ્રમિકનું મૃત્યુ નિપજ્યું

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
જામનગરના વાગડિયા ગામમાં ક્રેઈન દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા શ્રમિકો પૈકીના વધુ એક શ્રમિકનું મૃત્યુ નિપજ્યું 1 - image


- ઉપરોક્ત દુર્ઘટનામાં મૃત્યુનો આંક બે નો થયો: મૃતદેહને વતનમાં લઈ જવાયો: અન્ય બે શ્રમિક સારવાર હેઠળ

જામનગર,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર

જામનગર તાલુકાના વાગડિયા ગામમાં 10 દિવસ પહેલાં પવનચક્કીના ફીટીંગ કામ દરમિયાન ક્રેઇન જમીન દોસ્તી થઈ હતી. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી, જે પૈકીના વધુ એક શ્રમીકનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હોવાથી આ બનાવમાં મૃત્યુનો આંક બે નો થયો છે. હજુ બે શ્રમિકો સારવાર હેઠળ છે. 

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના વાગડીયા ગામમાં આજથી દસ દિવસ પહેલા ખાનગી કંપનીના 303 નંબરના લોકેશનમાં પવનચક્કીના પોલમાં ફાઉન્ડેશન ચડાવવાનું કામ ચાલતું હતું, જે સ્થળે ત્રણ ટ્રક ટ્રેલર કે જેમાં ત્રણેયના ડ્રાઇવરો અને ટ્રોલી ઓપરેટર બેઠેલા હતા, જે સમયે ક્રેઇન નીચેની જમીન પોચી પડવાના કારણે ક્રેઈન જમીનદોસ્ત થઈ હતી, અને ત્રણેય ટ્રકના ડ્રાઇવર-ઓપરેટર ક્રેઇનની નીચે આવી ગયા હતા. જે પૈકી રાજેન્દ્રસિંગ ગંગા સિંગ રાવત (ઉંમર વર્ષ 22)નું મૃત્યુ થયું હતું, આ ઉપરાંત તેના ભાઈ વિશ્રામસિંગ ગંગાસિંગ રાવત, પંજાબના રૂપનગર જિલ્લાના સાલાપુર સિંહ પંજાબી યુવાન તેમજ અન્ય ડ્રાઇવર અને ટ્રેઇલરના ટ્રોલી ઓપરેટર ઇજા થઈ હતી. જે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં સારવાર દરમિયાન હરજાબસિંગ નામના પંજાબી યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જેથી આ બનાવમાં મૃત્યુનો આંક બે નો થયો છે.

 જેનું જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી તેના મૃતદેહને પંજાબ રવાના કરાઈ રહ્યો છે. સમગ્ર મામલે પંચકોશી એ.ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News