જામનગરમાં નંદન પાર્ક વિસ્તારમાં રહેતી અપરિણિત યુવતીનો બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગરમાં રામેશ્વર નગર પાછળ નંદન પાર્કમાં રહેતી 23 વર્ષીય અપરણીત યુવતી એ પોતાની પેટની બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર પાછળ નંદન પાર્કમાં રહેતી હેતલબા રતુભા ચુડાસમા નામની 23 વર્ષની અપરણીત યુવતિ કે જે છેલ્લા સાતેક વર્ષથી સ્વાદુપિંડની બીમારીથી પીડાતી હતી. જે બીમારીથી કંટાળી જઈ પોતાના ઘેર પિતાના રૂમમાં પંખામાં દુપટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા રતૂભા દાનુભા ચુડાસમાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી. કે. વાઘેલા એ મૃતદેહનો કબ્જો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.