જામનગરની જિલ્લા જેલમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
જામનગરની જિલ્લા જેલમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો 1 - image

જામનગર,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર

જામનગર જિલ્લા જેલ ખાતે વી.વી.ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના નટુભાઈ ત્રિવેદી, જયેશભાઈ ખીમસુરિયા, ચંદ્રકાંતભાઈ નથવાણી તથા દિલીપભાઇ ઓઝાના સહયોગથી "નેત્ર નિદાન કેમ્પનું" આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં ડો. પરેશભાઈ ખૂડખુડીયા દ્વારા સેવા આપવામાં આવી હતી, અને અત્રેની જેલના બંદીવાનોએ તેમજ ફરજ પરના કર્મચારીઓએ ભાગ લીધો હતો. 

જામનગરની જિલ્લા જેલમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો 2 - image

આ કેમ્પને સફળ બનાવવા માટે જેલ અધિક્ષક એમ.એન.જાડેજા, ફિઝીશિયન ડો. સી.એસ.ડાંગેરા, જેલર જી.એમ.પટેલ, તથા સુબેદાર દાનુભાઈ.કે.બોદર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


Google NewsGoogle News