જામનગર મહાનગરપાલિકા ખાતેથી 'મેંરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત અમૃત કળશ યાત્રા ગાંધીનગર રવાના કરાઇ
જામનગર,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર
જામનગર શહેરમાંથી મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત એકત્રિત કરાયેલી માટી અને અક્ષત આજે મહાનગરપાલિકા ખાતેથી અમૃત કળશ યાત્રા રથ ગાંધીનગર ખાતે રવાના કરવામાં આવ્યો હતો.
આ સમયે જામનગર શહેર 79 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર મનપાના મેયર વિનોદ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા તથા શાસક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા તેમજ જામનગર શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા અને મનપાના નગરસેવકો તથા મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ અમૃત કળશ યાત્રા રથ પર પુષ્પ વર્ષા કરી રથને ગાંધીનગર જવા માટે રવાના કરવામાં આવ્યો હતો.