જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા પછી પાડોશી મહિલાના ઘરમાં આગ ચાંપી નુકસાન પહોંચાડાયું

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા પછી પાડોશી મહિલાના ઘરમાં આગ ચાંપી નુકસાન પહોંચાડાયું 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 14 માર્ચ 2024, ગુરૂવાર

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પાડોશી સાથે ઝઘડા થયા પછી ગત મોડી રાત્રી દરમિયાન પાડોશી શખ્સે મહિલાના ઘરમાં આંગ ચાંપી નુકસાની પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં બારોટ ફળીમાં રહેતી જશુબેન મહેન્દ્રસિંહ ચાંદ્રા નામની મહિલાએ પોતાના મકાનમાં મોડી રાત્રે ઘરવખરીનો કેટલોક માલસામાન સળગાવી નાખવા અંગે પોતાના પાડોશમાં રહેતા કમલેશ મોહનદાસ નિમાવત નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અને આરોપી બંને પાડોશીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડો ચાલી રહ્યો છે, જેનું મનદુઃખ રાખીને ગઈકાલે રાત્રે ફરીયાદી મહિલા પોતાના ઘેર ઉપરના માળે સૂતા હતાઝ દરમિયાન રાત્રિના 4:30 વાગ્યાના અરસામાં પાડોશી એ આગ ચાંપી ઘરવખરી ને રૂપિયા 15 હજારનું નુકસાન પહોંચાડ્યાનું પોલીસમાં જાહેર કરાયું છે. 

જે ફરિયાદના અનુસંધાને પોલીસે પાડોશી આરોપી કમલેશ નીમાવત સામે આઇપીસી કલમ 436 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News