ધ્રોલ તાલુકાના લતીપર ગામમાંથી 15 વર્ષની એક સગીરાનુ અપહરણ: અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો
જામનગર,તા.26 સપ્ટેમ્બર 2023,મંગળવાર
જામનગર જિલ્લાના રોડ તાલુકાના લતીપર ગામમાંથી 11મા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું અપહરણ થઈ ગયું હોવાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસે અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોળ તાલુકાના લતીપર ગામમાં રહેતી અને 11માં ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષથી એક તરુણી કે જે ગત 24 તારીખે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી. તેણીની શોધખોળ કરવા છતાં પણ પરિવારજનોને કોઈ પત્તો સાંપડ્યો ન હોવાથી. આખરે મામલો ધ્રોળ પોલીસ મથકમાં લઈ જવાયો હતો. સગીરાનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોવાથી ધ્રોળ પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે કોઈ અજાણ્યા શખ્સ સામે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે, અને સગીરાની શોધખોળ શરૂ કરી છે.