જોડીયા તાલુકાના માવનું ગામમાં રહેતા પર પ્રાંતીય શ્રમિક યુવાનનું પાણીના ખાડામાં ડૂબી જતાં અપમૃત્યુ

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
જોડીયા તાલુકાના માવનું ગામમાં રહેતા પર પ્રાંતીય શ્રમિક યુવાનનું પાણીના ખાડામાં ડૂબી જતાં અપમૃત્યુ 1 - image


Image Source: Freepik

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું પાણીના ખાડામાં પડી જતાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. જે મામલે જોડીયા પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના આલીરાજપુરના વતની અને હાલ જોડીયા તાલુકાના ગામમાં રહેતા સંજયભાઈ લક્ષ્મણભાઈ ચાવડા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કુંવરસિંહ જંગલીયાભાઈ રાઠવા(ઉ.વ.47) કે જેનું કોઈપણ રીતે પાણીના ખાડામાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકની પત્ની રેખાબેન રાઠવા એ પોલીસને જાણ કરતાં જોડીયા પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News