જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

જામનગર,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક  પરપ્રાંતિય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા સુમિત શંકરપ્રસાદ શાહુ નામના 18 વર્ષના પરપ્રાંતિય યુવાને ગઈકાલે રાતે પોતાના ઘેર છતના પાઇપ માં સાડી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી છે.

 આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ બ્રિજેશ શંકરપ્રસાદ શાહુએ પોલીસને જાણ કરતા મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News