લાલપુરના નાના લખિયા ગામમાં ખેત મજૂરી કામ કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું ઝેરી દવાની અસરથી અપમૃત્યુ

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News

લાલપુરના નાના લખિયા ગામમાં ખેત મજૂરી કામ કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું ઝેરી દવાની અસરથી અપમૃત્યુ 1 - image

જામનગર,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના લખિયા ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા એક શ્રમિક યુવાનનું પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ  કરતી વખતે ઝેરી અસર થવાથી  અપમૃત્યુ થયું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના નાના લખિયા ગામમાં રહેતા ભરતસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નાનકાભાઈ ઉર્ફે જયંતીભાઈ ભલિયાભાઈ ભુરીયા નામના 20 વર્ષના આદિવાસી યુવાને ગઈકાલે પોતાની વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી અસર થઈ હતી, અને તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હ હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે

 આ બનાવ અગે મૃતકના કુટુંબી વેસતાભાઈ ભુરિયાએ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News