જામજોધપુર તાલુકાના જામશખપુર ગામમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનું વીજ આંચકો લાગવાથી અપમૃત્યુ
જામનગર,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામસખપર ગામમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું વિજ આંચકો લાગવાના કારણે અપમૃત્યુ થયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે
આ બનાવની વિગત એવી છે કે મધ્યપ્રદેશના વતની અને હાલ જામજોધપુર તાલુકા ના જામશખપુર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા છગનભાઈ દેવડા નામના 32 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાનને વાડીમાં પાણી વાળવા જતી વખતે વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકની પત્ની મીનાબેન છગનભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સાંભળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.