જામનગર નજીક PGVCLની વીજલાઈનમાંથી પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક PGVCLની વીજલાઈનમાંથી પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ 1 - image


Jamnagar News : જામનગર નજીક ખોજા બેરાજા ગામમાં પગપાળા ચાલીને જઈ રહેલા એક પરપ્રાંતીય શ્રમિક યુવાનને પીજીવીસીએલની વિજ લાઈનમાંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નિપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશનો વતની પરપ્રાંતીય શ્રમિક યુવાન દલસિંહ રતનભાઇ મોરી (34) ગઈકાલે ખોજાબેરાજા ગામની સીમ વિસ્તારમાંથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો.

 જેમાં પોતે આગળ ચાલતો હતો, અને તેની પત્ની પાછળ ચાલી રહી હતી, દરમિયાન પીજીવીસીએલનો એક વીજવાયર નીચે આવીને લટકી રહ્યો હતો, જેના માથામાં વિજ આંચકો લાગ્યો હતો, અને ઘટના સ્થળે જ પત્નીની નજર સમક્ષ મૃત્યુ નીપજ્યું હતું.

 આ બનાવની પોલીસને જાણ કરાતાં પંચકોસી બી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસએસ જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા, જેમણે શ્રમિક યુવાનના મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News