જામનગરના યુવાનને તેની પત્નીએ પૈસા આપવાની ના પાડતા કરી આત્મહત્યા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
જામનગરના યુવાનને તેની પત્નીએ પૈસા આપવાની ના પાડતા કરી આત્મહત્યા 1 - image


Jamnagar Suicide Case : જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ગઇ રાત્રે એક દુ:ખદ ઘટના બની હતી. ઘરકંકાસના કારણે એક 34 વર્ષીય પુરુષે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની પત્ની પાસે પૈસા ન હોવાથી તેણે પૈસા માંગતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાથી મન દુખાવીને તેણે ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો. 

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતક ગફારભાઇ ઇબ્રાહીમભાઇ ખફી પોતાની પત્ની પાસે પૈસા હયમાંગતા હતા. પત્ની પાસે પૈસા ન હોવાથી તેણીએ ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.

 આ ઝઘડાથી મન દુખને લીધે ગફારભાઇએ ઘરના રૂમના છતના લોખંડના પાઇપ પર ચુંદડી વડે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને આ મામલે સીટી સી ડીવી. ના એ.એસ.આઈ.એ આગળની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News