જામનગરના મોટી બાણુંગાર ગામમાં રહેતા યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત
Jamnagar Suicide Case : જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં રહેતા એક યુવાને પોતાની પત્ની રિસાઈને માવતરે ચાલી ગઈ હોવાથી પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના બાણુંગાર ગામમાં રહેતા જીતેન્દ્ર પુંજાભાઈ પરમાર નામના 22 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાં દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો.
આ બનાવ અંગે મૃતકના પિતા પુંજાભાઈ પાલાભાઈ પરમારએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન જીતેન્દ્રની પત્ની કે જે તાજેતરમાં રિસાઈને પોતાના માવતરે ચાલી ગઈ હતી, તેથી પોતે પત્નીને તેડવા માટે ગયો હતો, પરંતુ પત્નીએ પરત આવવાનો સાફ ઇન્કાર કરી દેતાં તેને મનમાં લાગી આવ્યું હતું, અને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.