જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનનો બીમારીથી કંટાળી જઇ ગળા ફાંસા દ્વારા આપઘાત

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનનો બીમારીથી કંટાળી જઇ ગળા ફાંસા દ્વારા આપઘાત 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 28 નવેમ્બર 2023 મંગળવાર

જામનગરમાં નવાગામ (ઘેડ), બાપુનગર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાને માનસિક બીમારી થી કંટાળી જઈ ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના નવાગામ ઘેડ, બાપુનગર વિસ્તારમાં રહેતા ભાવેશ સુરેશભાઈ મકવાણા નામના ૨૨ વર્ષના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘેર બારીની લોખંડની ગ્રીલમાં ચાદર બાંધી ગળાફાંષા દ્વારા આપઘાત નો પ્રયાસ કર્યો હતો. 

આ બનાવ અંગેની જાણ થતાં સૌપ્રથમ ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેણે ભાવેશ મકવાણા ની તપાસ કર્યા પછી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ બનાવ અંગે મૃતક ના નાના ભાઈ જયેશ સુરેશભાઈ મકવાણાએ સીટી બી. ડિવિઝન પોલીસમાં જાણ કરાતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને છેલ્લા છ મહિનાથી માનસિક બીમારી લાગુ પડી ગઈ હતી જેની દવા ચાલૂ છે, જ્યારે

છેલ્લા બે મહિનાથી ચામડીની બીમારી પણ લાગુ પડી હતી જે બીમારીથી કંટાળી ગઈકાલે સાંજે અંતિમ પગલું ભરી દીધું હોવાનું જાહેર થયું છે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News