જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવત ના કારણે હિચકારો હુમલો

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવત ના કારણે હિચકારો હુમલો 1 - image


Image: Facebook

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતનું મન દુઃખ રાખીને ચાર શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આરોપીઓના પરિવારની કારને આગ ચાંપી દેવાઇ હતી, જેની શંકા ના આધારે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક નિલકમલ સોસાયટી શેરી નાં-૨ માં રહેતા અને ખેતી કામ કરતા સુરેન્દ્રસિંહ ઉર્ફે શક્તિસિંહ નવલસિંહ જેઠવા નામના ૨૪ વર્ષના યુવાન પર ખોડીયાર કોલોની ગોળ બંગલા પાસે ગઈકાલે સાંજે જયદીપ ઝાલા, હદુ ઝાલા, વિકી કાપડી અને તેઓના ચોથા સાગરીત વગેરેએ મળીને સુરેન્દ્રસિંહ ઉપર લોખંડ ના પાઇપ, લાકડાના ધોકા સહિતના હથીયાર વડે હુમલો કરી દઇ બંને હાથ પગમાં ફેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેના પર શસ્ત્રક્રિયા  કરવામાં આવી રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર થોડા દિવસો પહેલાં આરોપી જયદીપ ઝાલા ના કુટુંબીભાઈ નિરુભા ઝાલાની કારને કોઈએ સળગાવી નાખી હતી, જે કાર ફરિયાદી યુવાને સળગાવી હોવાની શંકાના આધારે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. સીટી સી. ડિવિઝન ના પી.એસ.આઇ.  વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News