જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા યુવાનના તલાક થઈ જતાં એકલવાયા જીવનથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: May 6th, 2024


Google NewsGoogle News
જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા યુવાનના તલાક થઈ જતાં એકલવાયા જીવનથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image


Suicide Case in Jamnagar : જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા એક યુવાનના બે મહિના પહેલાં તલાક થઈ ગયા હોવાથી એકલવાયા જીવનથી કંટાળી જઈ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ફિરોજ ઈબ્રાહીમભાઇ વીરપરિયા નામના 48 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર લાકડાની આડશમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જે બનાવ અંગે સૌ પ્રથમ 108ની ટુકડીને જાણ કરાતાં 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, અને તેઓએ ફિરોજ મલેકને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

 આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ મોહમ્મદભાઈ ઇબ્રાહીમભાઇ વીરપરિયાએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવાન કે જેના આજથી અઢી વર્ષ પહેલાં તલાક થઈ ગયા હતા, અને દારૂ પીવાની આદત પડી ગઈ હતી. દરમિયાન એકલવાયા જીવનથી કંટાળી જઇ પોતે આપઘાત કરી લીધો હોવાનું મૃતકના ભાઈ દ્વારા પોલીસમાં જાહેર કરાયું છે.


Google NewsGoogle News