જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં વાહનો ઓવરટેક કરવાના પ્રશ્ને એક બાઈક ચાલક યુવાન પર હુમલો

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં વાહનો ઓવરટેક કરવાના પ્રશ્ને એક બાઈક ચાલક યુવાન પર હુમલો 1 - image


Image Source: Freepik

જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતો એક યુવાન ગઈકાલે નાગનાથ ગેટ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન વાહન ઓવરટેક કરવાના પ્રશ્ને એક બાઈક ચાલક સહિત ત્રણ શખ્સોએ તકરાર કરી હુમલો કર્યો હતો. જે દરમિયાન પોલીસ વેન આવી જતાં ત્રણેય હુમલાખોરો ભાગી ગયા હતા. જેના વાહનના નંબરના આધારે પોલીસ ત્રણેયને શોધી રહી છે.

આ હુમલા ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક જલાની જાર વિસ્તારમાં રહેતો મિલન વસંત રાય સીમરિયા નામનો 29 વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઈને નાગનાથ ગેઇટ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન વાહન ઓવરટેક કરવા જેવી બાબતે તકરાર કરીને જી.જે.10 ડી.ક્યુ. 1695 નંબરના એક બાઈક ચાલક અને તેની સાથે આવેલા અન્ય બે અજાણ્યા શખ્સોએ તકરાર કરીને માર માર્યો હતો.

આ સમયે એકાએક પોલીસ વેન આવી જતાં ત્રણેય શખ્સો ભાગી છૂટ્યા હતા, જે નંબરના બાઈક ચાલક અને તેના બે સાગ્રીતો સામે પોલીસે હુમલા અંગેનો ગુનો નોંધ્યો છે, અને ત્રણેયની વાહનના નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News