જામનગર થી મીઠું ભરીને વેરાવળ જઈ રહેલા એક ટ્રકમાં અકસ્માતે આગ લાગી જતાં દોડધામ

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
જામનગર થી મીઠું ભરીને વેરાવળ જઈ રહેલા એક ટ્રકમાં અકસ્માતે આગ લાગી જતાં દોડધામ 1 - image


- કાલાવડ ફાયર બ્રિગેડ આગને કાબુમાં લીધી: ટ્રકની પાછળની બોડી અને ટાયરોને નુકશાન: અડધું મીઠું પણ ધોવાયું

જામનગર,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર

જામનગર થી વેરાવળ મીઠું ભરીને જઈ રહેલા એક ટ્રકમાં કાલાવડ નજીક મોટી માટલી પાસે ગઈ રાતે આગની ઘટના બની હતી, અને ટ્રકના પાછળના ટાયરો સહિતનો ભાગ સળગવા લાગ્યો હતો. આગના આ બનાવ અંગે કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરાતાં કાલાવડ ફાયર ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. 

જામનગરના પંકજ સોલંકી નામના ટ્રાન્સપોર્ટરની માલિકીના જી.જે.32-ટી 8223 નંબરના ટ્રકમાં ગઈ રાત્રે આગનો બનાવ બન્યો હતો, અને ટ્રકના ડ્રાઇવર રીતેશ કે જેણે તેના માલિકને ફોન કર્યા પછી કાલાવડ ફાયરબ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને તેઓએ આગ બુજાવી હતી.

 જે આગના કારણે ટ્રકના પાછળના ટાયરો તેમજ ટ્રકની બોડીનો કેટલો હિસ્સો તેમજ ટ્રકમાં ભરેલા મીઠાને પણ નુકસાની થઈ છે.


Google NewsGoogle News