જામનગરમાં રણજીતનગરમાં કાર અને બે રિક્ષા વચ્ચે ત્રીપલ અકસ્માત : સદભાગ્ય જાનહાનિ ટળી : લોકો ટોળે વળ્યા

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રણજીતનગરમાં કાર અને બે રિક્ષા વચ્ચે ત્રીપલ અકસ્માત : સદભાગ્ય જાનહાનિ ટળી : લોકો ટોળે વળ્યા 1 - image


Accident in Jamnagar : જામનગરમાં રણજીત નગર પટેલ સમાજ પાસે ગઈકાલે બપોરના સમયે બે ઓટોરિક્ષા અને એક કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદભાગ્ય ત્રણેય વાહનોમાં બેઠેલી કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી, પરંતુ ત્રણેય વાહનોમાં નુકસાની થઈ હતી. આ બનાવ સમયે લોકોના ટોળા એકઠા થયા હતા. 

જામનગરના રણજીત નગર પટેલ સમાજ પાસે ગઈકાલે બપોરના સમયે જી.જે.-10-સી.જી. 7886 નંબરની કાર પસાર થઈ રહી હતી. જે કારની પાછળ સૌપ્રથમ એક ઓટો રીક્ષા ટકરાઈને ખાંગી થઈ ગઈ હતી. ત્યારબાદ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી પણ એક રિક્ષા ટકરાઈ ગઈ હતી, અને તે રિક્ષામાં પણ ભારે નુકસાની થઈ હતી.

જામનગરમાં રણજીતનગરમાં કાર અને બે રિક્ષા વચ્ચે ત્રીપલ અકસ્માત : સદભાગ્ય જાનહાનિ ટળી : લોકો ટોળે વળ્યા 2 - image

સદનસીબે કાર ચાલક તેમજ રિક્ષામાં બેઠેલા મુસાફરો અથવા રીક્ષા ચાલક કોઈને ઇજા થઈ ન હતી, અને તમામનો બચાવ થયો હતો. આ વિચિત્ર અકસ્માતને લઈને જોરદાર ધડાકો થયો હતો, અને આસપાસના વિસ્તારના લોકો ટોળે વળ્યા હતા.

થોડો સમય માટે રણજીત નગર પટેલ સમાજના ચોકમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી. જેથી પોલીસ તંત્ર દોડતું થયું હતું અને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.


Google NewsGoogle News