જામનગરના બેડી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક પ્રૌઢને ચાલુ રિક્ષાએ ચક્કર આવતાં નાલામાં પટકાઈ પડ્યા પછી અપમૃત્યુ

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક પ્રૌઢને ચાલુ રિક્ષાએ ચક્કર આવતાં નાલામાં પટકાઈ પડ્યા પછી અપમૃત્યુ 1 - image

જામનગર,તા.22 ડિસેમ્બર 2023,શનિવાર 

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક પ્રૌઢને એકાએક ચાલુ રિક્ષાએ ચક્કર આવી જતાં પાણીના ખાડામાં પડી ગયા પછી તેઓનું કરુણ મૃત્યુ નીપજયું છે.

 આ બનાવની હકીકત એવી છે કે જામનગરના બેડી રાસંગપરા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા હાજીભાઈ સીદીકભાઈ સાંગાણી નામના 55 વર્ષના રીક્ષા ચાલક પ્રૌઢ, કે જેઓને છેલ્લા એકાદ વર્ષ થી મગજમાં બ્લડ પહોંચતું ન હોય, જેથી તેઓને અવારનવારમાં માથાનો દુખાવો રહેતો હતો, તેમજ ચક્કર આવતા હતા.

 દરમિયાન ગઈકાલે તેઓ કનસુમરાવાળી વિસ્તારમાં એક પાણીના ખાડા પાસેથી રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓને ચક્કર આવતાં રીક્ષા સહિત પાણીના ખાડામાં પડી ગયા હતા, અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના પુત્ર વસીમભાઈ હાજીભાઈ સાંગાણીએ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવવા અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News